રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર. જો તમે ટિકિટ બુક કરાવ્યા બાદ ડિજીટલ માધ્યમથી ચૂકવણી કર્યા બાદ કપાતા ટ્રાન્જેક્શન ચાર્જથી પરેશાન છો તો પછી હવે તમને મોટી રાહત મળશે. મોબાઇલ વૉલેટ કંપની પેટીએમે ટિકિટ બુકિંગ કરાવવા પર કપાતા બધા દરને માફ કરી દીધા છે. આ સુવિધા પેટીએમની એપ અને વેબસાઇટ બંને પર મળશે.
પેટીએમે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હવે આપણા ગ્રાહક સેવા શુલ્ક, પેમેન્ટ ગેટવે શુલ્ક અથવા કોઇ પણ અન્ય પ્રકારની લેવડ-દેવડમાં ટેક્ષ, ગેટવે અને સેવા શુલ્ક આપ્યા વગર પેટીએમ પરથી ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે.

Very Useful work
ReplyDelete